બાળક અને માણસના શરીર, મન તથા આત્મામાં શ્રેષ્ઠ જે કાંઈ  છે તે બધું બહાર આણવું એને હું શિક્ષણ ગણું છું. - ગાંધીજી 

મંગળવાર, 16 માર્ચ, 2010

કોમનવેલ્થસ રમતો

કોમનવેલ્થસ એ શું છે? કોમન્વેલ્થનો નો ઉદભવ ક્યાંથી થયો હતો?
કોમનવેલ્થ એ બ્રિટીશ સામ્રાજ્ય નીચે જે રાજ્યો હતા તેનું એક સંગઠન છે. ભારત પણ તેમનું એક છે. બ્રિટીશ સરકાર ના નેઝા હેઠળ વિશ્વમાં એક સમયે લગભગ ૭૦ જેટલા દેશ હતા અને તેની ઉપર તેઓ રાજ કરતા હતા. પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી ધીમે ધીમે તેનું આધિપત્ય ઘટતું ગયું. બ્રિટીશ સરકાર ના પંજા માંથી વિશ્વના દેશો આઝાદ થયા તેમાં ભારત પણ હતું. આ બધા દેશોને આઝાદી મળી ત્યારે વિશ્વ માં જુદા જુદા દેસોના સંઘો રચતા હતા. તેમ બ્રિટીશરોએ પણ એક સંઘ બનાવવાનું વિચાર્યું તેમાં તેને એવું નક્કી કર્યું કે એક સમયે આપને બધા (બ્રીટીશરો ના ગુલામો) એક સંઘ બનાવીએ તેમાં સાંસ્કૃતિક,વગેરે પ્રવુતિ કરવાનું નક્કી કર્યું, અને એક સંઘ ની રચના થઇ તે શરૂઆત માં બ્રિટીશ કોમનવેલ્થ તરીકે ઓળખાયો. પાછળ થી તે કોમનવેલ્થ તરીકે ઓઈખાય છે.
કોમનવેલ્થમાં આજે વિશ્વના લગભગ ૭૦ જેટલા દેશો જોડાયેલા છે. આ સંઘ દ્વારા દર ચાર વર્ષે વિશ્વમાં જુદી જુદી જગ્યાએ એક રમતોઉંત્સવ યોજાય છે. જે વિશ્વમાં બીજા ક્રમ ની સૌથી મોટી પ્રતિયોગીતા છે. તેમાં દર વર્ષે વિશ્વના દેશો જે બ્રિટિશરોના ગુલામ હતા તે શાન થી પોતાની ગુલામી ની યાદ તાજી કરે છે।
આ વર્ષે કોમનવેલ્થ રમતોત્સવ ભારતમાં (દિલ્હી) રમાંવવાનો છે।આ પ્રતિયોગીતા માં વિવિધ રમતીનું આયોજન કરવામાં આવશે, અને રંગારંગ કાર્યક્રમો કરવામાં આવશે. જેવી રીતે ચીન માં ઓલમ્પિક રમતોત્સવ યોજાયો હતો અને ચીને પુરવાર કરી બતાવ્યું છે અમે પણ પ્રતિયોગીતા કરવા માટે સક્ષમ છીએ. આવીજ રીતે ભારત પણ પુરવાર કરવા માંગે છે કે અમે પણ વિશ્વ પ્રતિયોગીતા કરવા માટે સક્ષમ છીએ
કોમનવેલ્થ રમતો રમાડવા માટે ભારત સરકારે દિલ્હી માં ઘણા બધા પરિવર્તનો કર્યા છે. જેમાં દિલ્હી માં નવા ઓવર બ્રીજ બનાવ્યા છે. ટ્રાફિક ની સમસ્યા ના આવે તે માટે બટરફ્લાય બ્રીજ ની રચના કરીછે. દિલ્હી માં રમતો માટે એક નવું ખેલગાવ બનાવવામાં આવ્યું છે. ખેલાડીઓ ને રેહવા માટે પંચતારક હોટેલો ની વ્યવસ્થા કરવામાં આવી છે. કોમનવેલ્થ રમતો રમાડવા માટે ભારત સરકારે દિલ્હી માં ઘણા બધા પરિવર્તનો કર્યા છે. જેમાં દિલ્હી માં નવા ઓવર બ્રીજ બનાવ્યા છે. ટ્રાફિક ની સમસ્યા ના આવે તે માટે બટરફ્લાય બ્રીજ ની રચના કરીછે. દિલ્હી માં રમતો માટે એક નવું ખેલગાવ બનાવવામાં આવ્યું છે. ખેલાડીઓ ને રેહવા માટે પંચતારક હોટેલો ની વ્યવસ્થા કરવામાં આવી છે. નવા મેદાનો આવ્યા છે. મેદાન થી કે કેલ્ગમ સુધીની નવી બસો સારું કરવામાં આવી છે. ખેલાડીને લઇ જવા માટે નવી બસો લાવવામાં આવી છે.ઘણા નવા બાંધકામો કરવામાં આવશે પાછળ ભારત સરકાર લગભગ ૮૦ હજાર કરોડ રૂપિયા નો ખર્ચો કરવામાં આવશે.જે ભારત જેવા ગરીબ દેસ ને કેમ કરીને પોસવાનું છે? આટલો ખર્ચો કર્યા પછી પણ આપણે આપણી ગુલામી ને જ યાદ કરવાની છે.

સોમવાર, 15 માર્ચ, 2010

કવિતા

(મીણબત્તી…બૂઝવી….દિવાસળી શોધ્યા કરે)
એ નિરર્થક વાતને ઘૂંટયા કરે,જિંદગી એ રીતથી જીવ્યા કરે.
ગૂંચનો પણ ખ્યાલ તો આવ્યો નહીં,ને સતત એ જિંદગી ગૂંથ્યા કરે.
મીણબત્તી એમણે બૂઝવી દીધી,ને પછી દિવાસળી શોધ્યા કરે.
જાણ ખુદની છે છંતાયે એ હજુઅન્યને પોતા વિશે પૂછયા કરે.
જીવવાનું છે અહિં ઘોંઘાટમાંલાગણીને એ સતત પીંજયા કરે.
- મેઘબિંદુ

બુધવાર, 27 જાન્યુઆરી, 2010

ભારત ની પરમ્પરાગત અર્થવ્યવસ્થા

ભારત ની પરમ્પરાગત અર્થવ્યવસ્થા
પ્રાગ બ્રિટીશ ભારતીય અર્થવ્યવસ્થાને સામાન્યરીતે પરંપરાગત અર્થવ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે। પારંપારિક વ્યવસ્થા પરિવર્તનશીલ નથી હોતી. આવા સમાજમાં ઘણીવાર બાહ્ય સંપર્કને કારણે પરિવર્તન આવે છે. તેમાં પરદેશી આક્રમણો,યુદ્ધો,વિદેશો સાથેના વ્યાપાર સંબંધો. અને ખાસ કરીને પરદેસી શાસન,મહત્વનો ભાગ ભજવે છે.બ્રિટીશ શાસન પહેલા ભારતનું અર્થતંત્ર કેવા પ્રકાર નું હતું ? તે મુદ્દો હાલ ચર્ચાય રહ્યો છે. વેરા અનેસ્ટી, વિલિયમ કેપ, મોરીસ ડેવિડ મોરીસ જેવા વિદેશી વિદ્વાનોનો એવો દાવો છે કે બ્રિટીશ શાસન પહેલાનું ભારત નું સામંતશાહી અર્થતંત્ર ઘણી પછાત દશા માં હતું. અને બ્રિટીશ શાસનને પરિણામે ભારત આર્થીક વિકાસની દિશામાં ગતિશીલ બન્યું હતું.


જયારે તપનરાય ચૌધરી, ઈરફાન હબીબ, અમલેન્દુ બુહા અમીયાકુમાર બાગચી અને બિપીનચંદ્ર જેવા ઈતિહાસ કારોએ એવી દલીલો કરી છે કે,બ્રિટીશ શાસન ને પરિણામે ભારત આર્થીક રીતે પછાત રહેવા પામ્યું.એટલુ જ નહિ તેના પરંપરાગત ગૃહઉદ્યોગો પણ પડી ભાંગ્યા.તેથી આ વિવાદ ને તપાસવા માટે પહેલા પ્રાગ બ્રિટીશ કાલીન ભારતની અર્થવ્યવસ્થા ને સમજવી જરૂરી છે.

મધ્યકાલીન ભારતમાં જે અર્થવ્યવસ્થા હતી તે ૧૯મી સદીના મધ્યભાગ સુધી યથવાત રહી હતી તેમાં જે પરિવર્તન આવ્યું તે લગભગ ૧૮૫૦ પછી એટલે કે ભારતમાં તાજ ના સાશન પછી આવ્યું.
ભારતની પુરાતન વ્યવસ્થામાં ગામડું એક અગત્યનું આર્થીક તેમજ સામાજિક ઘટક હતું. આ ગામડાઓ એ અનેક રાજકીય ઉથલપાથલો જોય હતી.પરતું તેમનું સામાજિક આર્થીક માળખું કોઈપણ રાજ્યસત્તા ફેરવી સાકી ન હતી.

સોમવાર, 4 જાન્યુઆરી, 2010

અશોક ના શિલાલેખો

અશોક ના શિલાલેખો
શિલાલેખો ના પ્રકાર
૧. બૃહદ/ મોટા શિલાલેખ
૨. લઘુ શિલાલેખ
૩. સ્તંભ લેખ
૪. લઘુ સ્તંભ લેખ
૫. ગુફા લેખ
૬. વિદેશો માં મળતા શિલાલેખ


૧. બૃહદ/ મોટા શિલાલેખ
૧. શાહબાજગઢી (પાક)
૨. માંનસેહરા (પાક)
૩. કાલસી (દેહરાદુન)
૪. એરાગુડ્ડી (કુર્નુલ-અન્ધ્રાપ્રદેશ)
૫. ગીરનાર (ગુજરાત)
૬. જૌગઢ (ઉડીસા)
૭. ધૌલી (ઉડીસા)
૮. સોપારા (મહારાષ્ટ્ર)
૨. લઘુ શિલાલેખ
(કર્નાટક)
૧. સન્ન્તી
૨. નેત્તુર
૩. ગોતિમઢ
૪. પાલકીગુન્ડું
૫. સિધ્ધપુર
૬. બ્રહ્મગીરી
૭. જત્તિંગ રામેશ્વર
૮. ઉદ્દેગોલમ
(મધ્યપ્રદેશ)
૧ .ગૂર્જારા
૨. બુઘની
૩. રૂપનાથ
૪. સારોમારો
(આંધ્રપ્રદેશ)
૧. માસ્કી
૨। રાજુલ માંડ ગીરી
૩। એરાગુડ્ડી (કુર્નુલ)
(અન્ય)
૧।એહરોરા (ઉ। પ.)
૨। લાજપતરાયનગર(દિલ્હી)
૩। લાબ્રું(રાજસ્થાન)
૪। સાસાયમ(બિહાર)
૩. સ્તંભ લેખ
૧. દિલ્હી ટોપરા
૨. દિલ્હી મથુરા
૩. લોરિયા નંદગઢ(બિહાર-ચંપારણ)
૪. લોરિયા અરેરાજ (ચંપારણ)
૫. રામપુરવા (ચંપારણ)
૬। પ્રયાગ (ઈલ્હાબાદ-ઉ.પ.)
૪.લઘુ સ્તંભલેખ
૧. સાંચી (મ.પ.)
૨. સારનાથ (ઉ.પ.)
૩. પ્રયાગ (ઉ.પ.)
૪. રૂમીન્દેઇ (નેપાળ)
૫। નીગ્લવા સાગર (નેપાળ)
૫.ગુફાલેખ
૧.બારબરા (બંગાળ)
૬.વિદેશો માં મળતા શિલાલેખ
૧.લઘમાન
૨.તક્ષશિલા
૩। ગાંધાર