બાળક અને માણસના શરીર, મન તથા આત્મામાં શ્રેષ્ઠ જે કાંઈ  છે તે બધું બહાર આણવું એને હું શિક્ષણ ગણું છું. - ગાંધીજી 

મંગળવાર, 16 માર્ચ, 2010

કોમનવેલ્થસ રમતો

કોમનવેલ્થસ એ શું છે? કોમન્વેલ્થનો નો ઉદભવ ક્યાંથી થયો હતો?
કોમનવેલ્થ એ બ્રિટીશ સામ્રાજ્ય નીચે જે રાજ્યો હતા તેનું એક સંગઠન છે. ભારત પણ તેમનું એક છે. બ્રિટીશ સરકાર ના નેઝા હેઠળ વિશ્વમાં એક સમયે લગભગ ૭૦ જેટલા દેશ હતા અને તેની ઉપર તેઓ રાજ કરતા હતા. પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી ધીમે ધીમે તેનું આધિપત્ય ઘટતું ગયું. બ્રિટીશ સરકાર ના પંજા માંથી વિશ્વના દેશો આઝાદ થયા તેમાં ભારત પણ હતું. આ બધા દેશોને આઝાદી મળી ત્યારે વિશ્વ માં જુદા જુદા દેસોના સંઘો રચતા હતા. તેમ બ્રિટીશરોએ પણ એક સંઘ બનાવવાનું વિચાર્યું તેમાં તેને એવું નક્કી કર્યું કે એક સમયે આપને બધા (બ્રીટીશરો ના ગુલામો) એક સંઘ બનાવીએ તેમાં સાંસ્કૃતિક,વગેરે પ્રવુતિ કરવાનું નક્કી કર્યું, અને એક સંઘ ની રચના થઇ તે શરૂઆત માં બ્રિટીશ કોમનવેલ્થ તરીકે ઓળખાયો. પાછળ થી તે કોમનવેલ્થ તરીકે ઓઈખાય છે.
કોમનવેલ્થમાં આજે વિશ્વના લગભગ ૭૦ જેટલા દેશો જોડાયેલા છે. આ સંઘ દ્વારા દર ચાર વર્ષે વિશ્વમાં જુદી જુદી જગ્યાએ એક રમતોઉંત્સવ યોજાય છે. જે વિશ્વમાં બીજા ક્રમ ની સૌથી મોટી પ્રતિયોગીતા છે. તેમાં દર વર્ષે વિશ્વના દેશો જે બ્રિટિશરોના ગુલામ હતા તે શાન થી પોતાની ગુલામી ની યાદ તાજી કરે છે।
આ વર્ષે કોમનવેલ્થ રમતોત્સવ ભારતમાં (દિલ્હી) રમાંવવાનો છે।આ પ્રતિયોગીતા માં વિવિધ રમતીનું આયોજન કરવામાં આવશે, અને રંગારંગ કાર્યક્રમો કરવામાં આવશે. જેવી રીતે ચીન માં ઓલમ્પિક રમતોત્સવ યોજાયો હતો અને ચીને પુરવાર કરી બતાવ્યું છે અમે પણ પ્રતિયોગીતા કરવા માટે સક્ષમ છીએ. આવીજ રીતે ભારત પણ પુરવાર કરવા માંગે છે કે અમે પણ વિશ્વ પ્રતિયોગીતા કરવા માટે સક્ષમ છીએ
કોમનવેલ્થ રમતો રમાડવા માટે ભારત સરકારે દિલ્હી માં ઘણા બધા પરિવર્તનો કર્યા છે. જેમાં દિલ્હી માં નવા ઓવર બ્રીજ બનાવ્યા છે. ટ્રાફિક ની સમસ્યા ના આવે તે માટે બટરફ્લાય બ્રીજ ની રચના કરીછે. દિલ્હી માં રમતો માટે એક નવું ખેલગાવ બનાવવામાં આવ્યું છે. ખેલાડીઓ ને રેહવા માટે પંચતારક હોટેલો ની વ્યવસ્થા કરવામાં આવી છે. કોમનવેલ્થ રમતો રમાડવા માટે ભારત સરકારે દિલ્હી માં ઘણા બધા પરિવર્તનો કર્યા છે. જેમાં દિલ્હી માં નવા ઓવર બ્રીજ બનાવ્યા છે. ટ્રાફિક ની સમસ્યા ના આવે તે માટે બટરફ્લાય બ્રીજ ની રચના કરીછે. દિલ્હી માં રમતો માટે એક નવું ખેલગાવ બનાવવામાં આવ્યું છે. ખેલાડીઓ ને રેહવા માટે પંચતારક હોટેલો ની વ્યવસ્થા કરવામાં આવી છે. નવા મેદાનો આવ્યા છે. મેદાન થી કે કેલ્ગમ સુધીની નવી બસો સારું કરવામાં આવી છે. ખેલાડીને લઇ જવા માટે નવી બસો લાવવામાં આવી છે.ઘણા નવા બાંધકામો કરવામાં આવશે પાછળ ભારત સરકાર લગભગ ૮૦ હજાર કરોડ રૂપિયા નો ખર્ચો કરવામાં આવશે.જે ભારત જેવા ગરીબ દેસ ને કેમ કરીને પોસવાનું છે? આટલો ખર્ચો કર્યા પછી પણ આપણે આપણી ગુલામી ને જ યાદ કરવાની છે.

સોમવાર, 15 માર્ચ, 2010

કવિતા

(મીણબત્તી…બૂઝવી….દિવાસળી શોધ્યા કરે)
એ નિરર્થક વાતને ઘૂંટયા કરે,જિંદગી એ રીતથી જીવ્યા કરે.
ગૂંચનો પણ ખ્યાલ તો આવ્યો નહીં,ને સતત એ જિંદગી ગૂંથ્યા કરે.
મીણબત્તી એમણે બૂઝવી દીધી,ને પછી દિવાસળી શોધ્યા કરે.
જાણ ખુદની છે છંતાયે એ હજુઅન્યને પોતા વિશે પૂછયા કરે.
જીવવાનું છે અહિં ઘોંઘાટમાંલાગણીને એ સતત પીંજયા કરે.
- મેઘબિંદુ