બાળક અને માણસના શરીર, મન તથા આત્મામાં શ્રેષ્ઠ જે કાંઈ  છે તે બધું બહાર આણવું એને હું શિક્ષણ ગણું છું. - ગાંધીજી 

સોમવાર, 15 માર્ચ, 2010

કવિતા

(મીણબત્તી…બૂઝવી….દિવાસળી શોધ્યા કરે)
એ નિરર્થક વાતને ઘૂંટયા કરે,જિંદગી એ રીતથી જીવ્યા કરે.
ગૂંચનો પણ ખ્યાલ તો આવ્યો નહીં,ને સતત એ જિંદગી ગૂંથ્યા કરે.
મીણબત્તી એમણે બૂઝવી દીધી,ને પછી દિવાસળી શોધ્યા કરે.
જાણ ખુદની છે છંતાયે એ હજુઅન્યને પોતા વિશે પૂછયા કરે.
જીવવાનું છે અહિં ઘોંઘાટમાંલાગણીને એ સતત પીંજયા કરે.
- મેઘબિંદુ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો