પ્રાગ બ્રિટીશ ભારતીય અર્થવ્યવસ્થાને સામાન્યરીતે પરંપરાગત અર્થવ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે। પારંપારિક વ્યવસ્થા પરિવર્તનશીલ નથી હોતી. આવા સમાજમાં ઘણીવાર બાહ્ય સંપર્કને કારણે પરિવર્તન આવે છે. તેમાં પરદેશી આક્રમણો,યુદ્ધો,વિદેશો સાથેના વ્યાપાર સંબંધો. અને ખાસ કરીને પરદેસી શાસન,મહત્વનો ભાગ ભજવે છે.બ્રિટીશ શાસન પહેલા ભારતનું અર્થતંત્ર કેવા પ્રકાર નું હતું ? તે મુદ્દો હાલ ચર્ચાય રહ્યો છે. વેરા અનેસ્ટી, વિલિયમ કેપ, મોરીસ ડેવિડ મોરીસ જેવા વિદેશી વિદ્વાનોનો એવો દાવો છે કે બ્રિટીશ શાસન પહેલાનું ભારત નું સામંતશાહી અર્થતંત્ર ઘણી પછાત દશા માં હતું. અને બ્રિટીશ શાસનને પરિણામે ભારત આર્થીક વિકાસની દિશામાં ગતિશીલ બન્યું હતું.
જયારે તપનરાય ચૌધરી, ઈરફાન હબીબ, અમલેન્દુ બુહા અમીયાકુમાર બાગચી અને બિપીનચંદ્ર જેવા ઈતિહાસ કારોએ એવી દલીલો કરી છે કે,બ્રિટીશ શાસન ને પરિણામે ભારત આર્થીક રીતે પછાત રહેવા પામ્યું.એટલુ જ નહિ તેના પરંપરાગત ગૃહઉદ્યોગો પણ પડી ભાંગ્યા.તેથી આ વિવાદ ને તપાસવા માટે પહેલા પ્રાગ બ્રિટીશ કાલીન ભારતની અર્થવ્યવસ્થા ને સમજવી જરૂરી છે.
મધ્યકાલીન ભારતમાં જે અર્થવ્યવસ્થા હતી તે ૧૯મી સદીના મધ્યભાગ સુધી યથવાત રહી હતી તેમાં જે પરિવર્તન આવ્યું તે લગભગ ૧૮૫૦ પછી એટલે કે ભારતમાં તાજ ના સાશન પછી આવ્યું.
ભારતની પુરાતન વ્યવસ્થામાં ગામડું એક અગત્યનું આર્થીક તેમજ સામાજિક ઘટક હતું. આ ગામડાઓ એ અનેક રાજકીય ઉથલપાથલો જોય હતી.પરતું તેમનું સામાજિક આર્થીક માળખું કોઈપણ રાજ્યસત્તા ફેરવી સાકી ન હતી.